નવી દિલ્હી: દિલ્હીમાં 21 વર્ષના રાજકીય વનવાસ બાદ સત્તામાં વાપસીના સપના જોઈ રહેલા ભાજપ (BJP) ને આ વખતે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2020) માં એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. 70 સભ્યોવાળી વિધાનસભામાં પાર્ટી ફક્ત 8 બેઠકો મેળવી શકી. સૂત્રોના જણાવ્યાં મુજબ ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાની રજૂઆત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMના વિકાસવાળા રાજકારણની કોપી કરીને કેજરીવાલ બન્યાં અરવિંદ 'મોદીવાલ'!


ભાજપની આજે સાંજે 5 વાગે બેઠક
નોંધનીય છે કે દિલ્હીમાં મળેલી હારથી ભાજપનું ટોચનું નેતૃત્વ આઘાતમાં સરી પડ્યું છે. સંપૂર્ણ તાકાત ઝોંકી, દમદાર નેતાઓની ફૌજ પ્રચારમાં ઉતરવા છતાં ભાજપને માત્ર 8  બેઠકો મળી. પાર્ટીની સજ્જડ હાર બાદ હવે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હારની સમીક્ષા માટે આજે સાંજે 5 વાગે મહાસચિવોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. 


જુઓ LIVE TV


દિલ્હીમાં પ્રચંડ જીત બાદ ચર્ચા, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખતરો છે કેજરીવાલ 3.0? 


ચૂંટણીમાં હાર બાદ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ હાર સ્વીકારતા કહ્યું કે ભાજપે આ જનાદેશને સ્વીકારતા રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવવાનું નક્કી કર્યું છે અને પ્રદેશના વિકાસ સંબંધિત દરેક મુદ્દાને પ્રમુખતાથી ઉઠાવશે. દિલ્હી ચૂંટણીમાં શાહીન બાગનો મુદ્દો પણ છવાયેલો રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...